• HEADING-1 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-2 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-3 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-4 GOES HERE

    DESCRIPTION GOES HERE
  • HEADING-5 GOES HERE

    DESCRIPTION GOES HERE

શનિવાર, 7 મે, 2016

તાંબાના વાસણમાં રાખેલું પાણી કેમ પીવું જોઈએ?,જાણો તેના જાદૂઈ કારણો



આપણે ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકો રાતે તાંબાના વાસણમાં સાદું પાણી રાખે અને સવારે ઉઠતાની સાથે એ પાણી પી લે. તે પાણી પીવું એ આપણા માટે વરદાન સમાન છે. આ પાણી શરીરના ઝેરી તત્વોને બહાર નીકાળે છે. આ ઉપરાંત શરીરમાં રહેલ દોષ જેવાકે કફ અને પિત્ત બંનેને સંતુલિત કરવાની ક્ષમતા રાખે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર રોજેરોજ શરીરમાં 1.3 મિલીગ્રામ જેટલું તાંબું જરૂરી છે. જોકે ભારતીયોની લાઇફસ્ટાઇલ અને શારીરિક બાંધાને જોતાં બે મિલીગ્રામ સુધી તાંબું લેવાનું ભારતીય ડોક્ટર સૂચવે છે.
  • મગજના કામને વધારે જલ્દી અને કુશળતાથી કરવામાં મદદ કરે છે.
  • વજન ઘટાડવામાં મદદરુપ છે. કસરતની સાથે સાથે તમે તાંબાના વાસણમાં પાણી પીશો તો ફાયદાકારક રહેશે.
  • લોહીની ઉણપને દૂર કરે છે.
  • સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. સાંધાના દુખાવો થાય અને તેમાં સોજો આવે તો તમે આ પાણી પીશો તો ચોક્કસ ફાયદાકારક બનશે.
  • આયુર્વેદ પ્રમાણે તાંબાના વાસણમાં મુકેલ પાણીમાં ધીરે ધીરે તાંબુ વધતું જાય છે અને તેના લીધે પાણીમાં સકારત્મકતા વધે છે. આ પાણી કેટલાક દિવસો સુધી રાખીએ તો પણ એ વાસી નથી થતું.
  • આ પાણી થાઈરોઈડની બીમારીમાં પણ કારગત નીવડે છે. થાઈરોઈડના તજજ્ઞોના મતે, તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરમાં થાયરેક્સીન હાર્મોન નિયંત્રિત થઈને આ ગ્રંથીની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરે છે.
  • બેકટીરિયા સમાપ્ત કરવામાં મદદરુપ હોય છે.તાંબાની પ્રકૃતિ ઓલીડિનોમિક હોય છે જેથી આમાં પાણી રાખવાથી પાણીના બેકટીરિયા સરળતાથી નષ્ટ થઈ જાય છે.
  • ડાયેરિયા, દસ્ત તથા કમળાને રોકવા માટે મદદરુપ બને છે.
  • ત્વચાને સ્વસ્થ રાખવામાં તાંબામાં રાખેલ પાણી મદદ કરે છે. નિયમિત રીતે આ પાણી પીવાથી આ ઉપાયને કરવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનશે.
  • પાચનક્રિયાને સ્વસ્થ બનાવે છે. પેટને લગતી સમસ્યા જેવીકે એસિડિટી, કબજિયાત, ગેસ વગેરે માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી અસરકારક છે.
  • ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી પાડે છે. મજબૂત એન્ટિઓક્સિડેન્ટ તથા સેલ બનાવવાના ગુણોથી સમૃધ્ધ હોવાથી કોપર મુક્ત કણો સાથે લડે છે. ત્વચા પરની લાઈનો આવવાના કારણોમાંનું આ એક છે. નવી તથા સ્વસ્થ ત્વચાની કોશિકાના ઉત્પાદનમાં મદદ કરે છે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો